આંકલાવ નજીક જીલોડ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત:ચાર લોકોના મોત:જેસીબીથી મૃતદેહ બહાર કાઢયા
કોસીંદ્રા ગામના મુસ્લિમ પરિવારના સભ્યો બામણગામથી વેગનઆર કારમાં પરત જઈ રહ્યા હતા
આંણદના આંકલાવ નજીક જીલોડ ગામ પાસે વેગનઆર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જયારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. તમામ મૃતકો આંકલાવના કોસીંદ્રા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે જેસીબીના સહારે વેગનઆરમાંથી ત્રણેય મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
કોસીંદ્રા ગામના મુસ્લિમ પરિવારના સભ્યો બામણગામથી પોતાના ગામ કોસીંદ્રા વેગનઆર કારમાં પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આંકલાવના જીલોડ ગામ નજીક સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વેગનઆર કારનું પકીડુ વળી ગયું હતું. કારમાં સવાર 4 લોકો પૈકી ત્રણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે એક ઈસમને ગંભીર ઇઝા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.