ગુજરાત
News of Saturday, 22nd September 2018

પાટણમાં લારીઓવાળાનું દબાણ હટાવતા પટની સમાજે શાકભાજી નહિ વેચવા કર્યો નિર્ણય

-સોમવાર સુધીમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો પાટણમાં શાકભાજી નહિ વેચવા મહિલાઓ મક્કમ

 

પાટણમાં વહીવટી તંત્રએ રોડ પર ઉભા રહીને શાકભાજી વેંચતા લારીઓ વાળાનું દબાણ હટાવતા પટની સમાજે શહેરમાં શાકભાજી નહી  વેચવાનો નિર્ણય કરતા મામલો સંગીન બન્યો હતો.

  મુખ્ય રસ્તા રતનપોળથી રેલવે સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ પર વર્ષોથી લારીગલ્લા વાળાનું સામ્રાજ્ય હતું. જે તંત્ર દ્રારા હટાવવામાં આવતા દબાણ કર્તાઓમાં રોષ વ્યાપ્યો છે.અને  જો સોમવાર સુધીમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો પાટણમાં શાકભાજીનું વેચાણ નહીં કરવા મક્કમ  છીએ.તેવું શાકભાજી વેચનારી મહિલાઓએ જણાવ્યુ હતું.

(12:01 am IST)