ગીરના જંગલમાં 11 સિંહોના મોતના દિલ્હીમાં પડઘા :વન વિભાગની ટીમ ગુજરાત દોડી
અમદાવાદ :ગુજરાતની સાન ગણાતા સિંહોના મોતનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. ટપોટપ 11 સિંહના મોતની વાત સાંભળતા જ દિલ્હીની વન વિભાગની ટીમ ગુજરાત દોડી આવી હતી અને જ્યાં જ્યાં સિંહોના મોત થયા છે, તે સ્થળની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીરના જંગલમાં છેલ્લા 10 દિવસમાં 11 સિંહોના મોત થયા હતા.
ગુજરાતમાં સિંહોના મોત મામલે કેન્દ્ર સરકારે નોંધી લીધી છે. કેન્દ્ર સરકારના વન વિભાગની ટીમ ગુજરાત દોડી આવી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ટીમમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઓથોરિટીના પ્રતિનિધિ તથા જોઇન્ટ ડાયરેક્ટર વાઇલ્ડ લાઇફના AIG પણ સામેલ હતા. કેન્દ્ર ટીમ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી હતી તથા સિંહોના મોત કેવી રીતે થયા તે અંગે સ્થાનિક ટીમ સાથે ચર્ચા કરી હતી