સુરતના સચિન વિસ્તારમાં મંગેતરની અન્ય યુવક સાથે આંખ મળી જતા અગમ્ય કારણોસર આપઘાત
સુરત:સચીનમાં મંગેતર સાથે રહેતી યુવતીની અન્ય યુવક જોડે આંખ મળી ગયા બાદ કોઇ કારણસર યુવતીએ આપઘાત કરી લીધો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચીન વિસ્તારમાં રહેતી ૨૪ વષીૅય સુનીતા વસાવા(નામ બદલ્યુ છે) ગત બપોરે ધરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કયોૅ હતો. તપાસકર્તા સચીન પોલીસ સુત્રોએ જણાવ્યુ કે સુનીતાની છ માસ પહેલા યુવક સાથે સગાઇ થઇ હતી. બંને જણા એક બીજાના પરિવારની સંમતિથી સાથે રહેતા હતા.
તે દરમિયાન સુનીતાની અન્ય એક યુવાન સાથે આંખ મળી ગઇ હતી. જેથી સુનીતાએ તેના મંગેતરને ક્હયુકે મારા યુવક જોડે પ્રેમ સંબંધ હોવાથી તારી સાથે રહેવુ નથી. તેથી મંગેતરે તેને કહ્યુ કે પરિવાર અને પોતાની સમાજમાં બદનામી થશે. ત્યારબાદ યુવતિએ જીવન ટુંકાવ્યું હતું. આપઘાતના ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. યુવતિ ઘરકામ કરતી હતી અને યુવાન વીજ કંપનીમાં નોકરી કરે છે.