ગુજરાત
News of Saturday, 22nd September 2018

ગુજરાતમાં માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલનો અમલ જરૂરી બનશે

ગાંધીનગર તા. ૨૨ : ગુજરાતમાં તા. ૧-૧૦-૧૮ થી ૫૦,૦૦૦ રૂ.થી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે જીએસટી ધારા હેઠળ ઈ-વે બિલનો અમલ ફરજિયાત બનશે. જોકે, એક જ શહેરમાં માલસામાનની હેરફેરને ઈ-વે બિલમાંથી મુકિત આપવામાં આવી છે. જીએસટીના નિયમ ૧૩૮ (૧૪)/ ૧૩-૧૨ હેઠળ સ્ટેટ ટેકસ કમિશનર તથા સેન્ટ્રલ ટેકસ ચીફ કમિશનરે બહાર પાડેલા અધિકૃત જાહેરનામા મુજબ માલસામાનની હેરફેર સંદર્ભે એક શહેરથી બીજા શહેર અને એક રાજયથી બીજા રાજયમાં માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલનો અમલ કરવાનો રહેશે. માલસામાનની હેરફેર સાથે સંલગ્ન વ્યકિતએ તેની સાથે ઈ-વે બિલ રાખવું જરૂરી નથી, પરંતુ સામાનને લગતા દસ્તાવેજ જેવા કે ટેકસ ઈનવોઈસ, ડિલિવરી ચલણ, સપ્લાય બિલ, એન્ટ્રી બિલ સાથે રાખવા જરૂરી બનશે.(૨૧.૩)

 

(12:04 pm IST)