News of Wednesday, 22nd August 2018
સમાજમાં કેટલાક લોકો પોતાની જીદના કારણે અશાંતિનું વાતાવરણ ફેલાવે છે :નીતિન પટેલ
અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલ દ્વારા આગામી 25 મી ઓગસ્ટના રોજ ઉપવાસ કાર્યકમ કરવા માટે સરકાર પાસે ઉપવાસ સ્થળની પરવાનગી માંગવામાં આવી છે. પણ સરકાર દ્વારા સ્થળ ફાળવાયુ નથી જેથી કોંગ્રેસના 21થી વધુ ધારાસભ્યોએ હાર્દિકના સમર્થનમાં સરકારને રજૂઆત કરી છે
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે કે કોંગ્રેસે આપેલુ આવેદન તેમણે સીએમને સોંપ્યું છે પણ સમાજમાં કેટલાક લોકો પોતાની જીદના કારણે અશાંતિનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ કરે છે
(11:58 pm IST)