News of Wednesday, 22nd August 2018
રાજય ખાણ ખનીજ વિભાગની ઐતિહાસિક પહેલથી ૧૩૦ ગણો નફો વધ્યોઃ લીઝનું ઇ-ઓકસન
રાજકોટઃ ગુજરાતના ખાણ-ખનીજ વિભાગે એક નવી પહેલ હાથ ધરી ખનીજ બ્લોકનું વેબ સાઇટ દ્વારા લીઝનું ઇ-ઓકશન કરેલ છે. જેના લીધે સરકારી તિજોરીને ૧૩૦ ગણો નફો વધ્યાનું જાહેર થયું છે. પારદર્શક આ નવી પધ્ધતીથી રૂપાણી સરકારે ખુબ ઉંચુ પ્રીમીયમ મેળવ્યાનું પ્રસિધ્ધ થયું છે.
અરૂણ ડીજીટલ કોર્પોરેશન, કનુભાઇ પટેલ, સમીર અને દેવાંગ પટેલ, કિરીટસિંહ વાઘેલા, જુગલકિશોર અગ્રવાલ, રૂપેશ બ્રહ્મભટ્ટ વિ. એ લીઝ ખરીધ્યાનું વેબ સાઇટ ઉપર મુકાયું છે.
(6:50 pm IST)