ગુજરાત
News of Wednesday, 22nd August 2018

નડિયાદ: ટ્રેનમાંથી નીચે પડતા અજયના મુસાફરનું કમકમાટી ભર્યું મોત

નડિયાદ: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૨ ડાઉન લાઈન પસાર થતી કોઈ પણ ટ્રેનમાંથી રાત્રીના ત્રણ વાગ્યા પહેલાં એક અજાણ્યો મુસાફર (ઉં.વ.૪૦) પડી ગયો હતો જેથી ટ્રેન નીચે કપાઈ જતા અજાણ્યા મુસાફરનું મોત નિપજ્યું હતું. મુસ્લિમ જેવા જણાયેલ અજાણ્યા પુરૂષે કાળુ અડધી બાયનું શર્ટ તથા કાળુ જીન્સ પેન્ટ પહેરેલ છે. આ મુસાફરની ઓળખ થઈ નથી. આ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 

(5:06 pm IST)