ગુજરાત
News of Wednesday, 22nd August 2018

પુષ્ટી પવિત્રા એકાદશી મહોત્સવ પ્રસંગે ૧૧ હજાર પવિત્રા મનોરથ

પવિત્રા એકાદશી મહોત્સવ તા ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ ને  પુષ્ટીમાર્ગ વૈષ્ણવ સંમ્પ્રદાય સ્થાપના દિન પ્રસંગે શ્રી વલ્લભધામ હવેલી મણિનગર ને આંગણે શ્રી ગોવર્ધનાથજી પ્રભુ તથા જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને પવિત્રા ધરાવાશે. તથા તીલક આરતી મહોત્સવ  પુષ્ટીગાન કરીને ઉજવણી કરવામા આવશે. . તથા બ્રમ્હસંબંધ દિક્ષા સવારે ૧૦.૦૦  આપવામા આવશે.  ત્યારબાદ ધર્મસભા સાજે ૬:00 વાગે વૈષ્ણવાચાર્ય ગોસ્વમી રાજેશકુમારજી મહારાજશ્રી તથા ગોસ્વામી કૃષ્ણકુમારજી મહોદય તથા ગોસ્વામી શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રી (કડી) દ્વારા  સત્સંગ અને આશિર્વચન  અપવામા આવશે. તથા તા. ૨૩ ઓગસ્ટ ને ગુરુવારે શ્રી પવિત્રા બારસ મહોત્સવ ની ઉજવણી થશે જેમા પુજ્ય મહારાજશ્રી ને વૈષ્ણવ ભક્તજનો દ્વારા સવારે ૧૦ થી ૧  તથા સાજે ૫ થી ૭ ના સમય મા પવિત્રા ધરાવામા આવશે. જેમા ભાજપ ના સર્વ અગ્રીણીઓ કોર્પોરેટરશ્રી, સ્ટેન્ડીગ કમીટી ચેરમેનશ્રી  તતા યુવા મોર્ચા  મોટી સંખ્યામા ઉપસ્થીત રહેશે..

 

(10:11 am IST)