રાઇટ ટુ એજ્યુકેશન માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે
ગામોમાં પણ શ્રેષ્ઠ શિક્ષણની વ્યવસ્થા ગોઠવાઈ છે : રાજ્યભરમાં એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત નહીં રહે તે માટે વિશેષ આયોજન : શાળા પ્રવેશોત્સવ ઉપયોગી
અમદાવાદ,તા.૨૨ : મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શહેરી ક્ષેત્રના દ્ધિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરની પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ-શાળા પ્રવેશથી વંચિત ન રહે તેવી ૧૦૦ ટકા નામાંકનની સંકલ્પબદ્ધતા આ સરકારે દાખવી છે. રાઈટ ટુ એજ્યુકેશન-સૌને શિક્ષણનો અધિકાર એ દિશામાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૧ ટકા સુધી લઈ જવામાં મળેલી સફળતાને પગલે માધ્યમિક શાળાઓમાં પણ ટ્રાન્ઝીશન રેટ ૧૦૦ ટકા લઈ જવા માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ અભિનવ પ્રયોગરૃપે શરૃ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સહિત ગામો-શહેરોમાં શિક્ષણની અદ્યતન સુવિધાઓ સરકારે પુરી પાડી છે. સવા લાખ જેટલા શાળાના ઓરડાઓ, બધી જ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, પ્રયોગશાળા વગેરે સુવિધાઓથી બાળકોના અભ્યાસની પૂરતી કાળજી સરકાર કરોડો રૃપિયાનું બજેટ શિક્ષણ માટે ફાળવીને લઈ રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય રૃપાણીએ બાળકોના શાળા પ્રવેશોત્સવને પારિવારિક ઉત્સવ તરીકે ઉજવીને બાળકના શાળા નામાંકનને પ્રોત્સાહિત કરવા વાલી-માત-પિતાઓને પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, શિક્ષણ જ વિકાસનો પાયો છે તેથી આજનું બાળક શિક્ષા-દિશા મેળવી રાષ્ટ્રનિર્માણ-સમાજનિર્માણમાં ભાવિ નાગરિક તરીકે સક્ષમતાથી ઊભો રહે તે જ આપણી નેમ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તેમણે કહ્યું કે, સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અન્વયે ડિઝીટલ કલાસરૃમ-સ્માર્ટ ક્લાસીસ અને પ્રોજેક્ટ જેવા આયામોથી સરકારી શાળામાં ગરીબ-મધ્યમવર્ગીના બાળકોને પણ ખાનગી સમકક્ષ અદ્યતન શિક્ષણ ગુજરાત અપાય છે.