ગુજરાત
News of Friday, 22nd June 2018

વલસાડની સરસ્વતી મંદિરના શારીરિક શિક્ષણના વિષય માટે મેદાનમાં રમત-ગમત માટે જતી વિદ્યાર્થીનીનું મોત

વલસાડઃ વલસાડમાં સરસ્વતી વિદ્યામંદિર શાળામાં જ્યારે શારીરિક શિક્ષણના વિષયમાં હાજરી આપવા માટે વિદ્યાર્થિની મેદાન પર જઇ રહી હતી. આ દરમિયાન તેમને અચાનક જ ચક્કર આવી ગયા હતા અને તેને સાારવાર અર્થે શાળા નજીકની સાફી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થિની કુદરત સામે હારી ગઇ હતી અને સારવાર દરમિયાન જ મોત થયુ હતુ.

ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થિની પહેલાથી જ ગંભીર રોગથી પીડાઇ રહી હોવાનું સામે આવ્યુ છે. તે છેલ્લા કેટલાય દિવસથી બિમાર પણ હતી. જેને લઇ મોત નિપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટના બાદ પોલીસ અને શાળા સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે આ અંગે પોલીસે સ્કૂલ સંચાલકો અને પરિવારજનો પાસેથી વધુ માહિતી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)