શિક્ષકોના વિવિધ પ્રશ્ને રાજ્યવ્યાપી આંદોલન : 24મીએ રાજ્યના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી વિરોધ કરશે
અમદાવાદ :ગુજરાત રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનાં વિવિધ પ્રશ્નોને લઈને રાજ્ય શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે પણ ટેકો જાહેર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યભરમાંથી જિલ્લાઓનાં શિક્ષક સંઘો આ આંદોલનમાં તબક્કાવાર જોડાઈ રહ્યા છે.
જૂનાગઢ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે વિવિધ પ્રશ્નો જેમ કે સરકારી શાળાના સહાયક શિક્ષકોને 12 હજાર જેટલો પગાર ઓછો આપવો. સાતમાં પગાર પંચના બાકી પગારની ચૂકવણી. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો અને આચાર્યની ઘટને પૂરી કરવી સહિતના મુદ્દે ટેકો જાહેર કર્યો છે.
શાળાઓમાં શિક્ષકો શિક્ષણ કાર્ય સાથે જોડાઇને કાળી રિબિન બાંધી સરકારનો વિરોધ કરી રહ્યા છે. આગામી 24 તારીખે રાજ્યના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી વિરોધ નોંધાવશે.