નડિયાદ તાલુકાના કલોલીમાં ટ્રેકટર પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું દબાઈ જવાથી કરુણ મોત
નડિયાદ: તાલુકાના કલોલીમાં રહેતાં બે ઈસમો ટ્રોલી સાથે ના ટ્રેક્ટરમાં લાકડાં ભરી કમળા ચોકડી જતાં હતાં તે દરમિયાન ટુંડેલ ગામની સીમમાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરનો ચાલક તેમજ ટ્રેક્ટરમાં સવાર લાકડાંના વેપારીનું ટ્રેક્ટર તેમજ લાકડાં નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કલોલીમાં રહેતાં રાજુભાઈ રામાભાઈ બારૈયા (ઉં.વ ૪૦) અને ગામમાં જ રહેતાં લાકડાના વેપારી દિનેશભાઈ ગણેશભાઈ રોહિત (ઉં.વ ૪૫) આજરોજ વહેલી સવારે ટ્રોલીમાં લાકડાં ભરી ટ્રેક્ટર નં જીજે ૦૭ બીઆર ૯૫૩૬ લઈ લાકડાં વેચવા માટે કમળા ચોકડી જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ટુંડેલ ગામની સીમમાંથી પસાર થતાં સિક્સ લેન હાઈવે પરના રેલ્વે ઓવરબ્રીજ પર આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. લાકડા ભરેલ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર પલ્ટી ખાઈ જવાથી લાકડાં રોડ પર ઠલવાઈ ગયાં હતાં.