ગુજરાત
News of Wednesday, 22nd May 2019

ઉમરેઠના પ્રતાપપુરામાં નદીમાં ન્હાવા પડેલ એક માતા સહિત ત્રણ બાળકોનો પાણીમાં ગરકાવ: 4ના મોત: મહિલાનો આબાદ બચાવ

ઉમરેઠ: તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલ મહીસાગર નદીન કાંઠે નહાવા ગયેલા એક બાળક સહિત ત્રણ મહિલાના ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે એક મહિલાને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. લગ્નમાં મહાલવા આવેલા સંબંધીઓના મોતથી લગ્નનો માહોલ શોકમાં પલટાઈ જવા પામ્યો હતો. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા મથક ઉમરેઠના છેવાડાના કોતર વિસ્તારમાં આવેલા પ્રતાપપુરા ગામમાં રહેતા રમેશભાઈ રતનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહના લગ્ન હોઈ ભાઈના લગ્નમાં મહાલવા મોરબી પરણાવેલી સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા સહિત સગા સંબંધીઓ પ્રતાપપુરા આવ્યા હતા. ગઈકાલે ભોજન સમારંભ હતો અને આજે ભાઈની જાન ઠાસરા તાલુકાના ભૈડવા ગામે જવાની હોઈ તૈયારીઓ ચાલી રહી હતી. દરમ્યાન ઘર નજીક કોતરોમાંથી પસાર થતી મહીસાગર નદીમાં પાંચ મહિલા અને એક ૧૨ વર્ષનો કિશોર નહાવા માટે ગયા હતા. 

(5:12 pm IST)