ગુજરાત
News of Tuesday, 22nd May 2018

વાલિયા તાલુકામાંથી મળેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રેમી સાથે મળી પત્નીએ કરી હતી હત્યા

વાલીયા:તાલુકામાંથી હત્યા થયેલા યુવકની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને તેની પત્ની અને પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સગેવગે કરી દીધી હોવાનું બહાર આવ્યા બાદ ભરૃચ એસઓજી પોલીસે પત્ની અને પ્રેમીની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગયા વર્ષે અજાણ્યા યુવાનની લાશ મળી હતી. અને બાદમાં તેની ઓળખ થઈ હતી. જેમાં મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો અને અંકલેશ્વર જીઆઈડીસીનો ગણેશપાર્કમાં રહેતો આનંદ રાજનારાયણ ચર્તુવેદી હોવાનું બહાર આવ્યું હતુ. બાદમાં આનંદ ચતુર્વેદીની પત્ની મધુબેનની તપાસ કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેનો તથા માંગરેલના ધામરોડના તેના પ્રેમી હરીભાઈ ભરવાડે આનંદ રાજનારાયણ ચતુર્વેદીને કુકરના ઢાંકણાથી માર મારી ત્યારબાદ ગળે ટૂંપો થઈ મોતને ઘાટ ઉતારી દીધો હોવાની સ્થાનિક કરી હતી.

(6:04 pm IST)