ધર્મેશ શાહે પત્નિ અને બે દિકરીને પતાવી દીધા
અમદાવાદમાં ત્રિપલ મર્ડરઃ ધર્મેશ શાહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્નિ અમી શાહ અને બન્ને દિકરીઓ દીક્ષા અને હેલીને મોતને ઘાટ ઉતારી દીધા
અમદાવાદઃ તા.૨૨, શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો ખાતે ફાયરિંગ કરી ત્રિપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. બિઝનેશમેન ે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પત્ની અને બે દીકરીને મોતને ઘાટ ઉતારી હતી. સવારે ૭ વાગ્યે બનેલી ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. દેવું થઈ જતાં હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. હત્યારા ધર્મેશ શાહે પત્નિ અમી શાહ અને બંને દિકરીઓ દીક્ષા અને હેલીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે જ પોલીસ અને સગાસંબધીઓને ફોનથી જાણ કરી હતી.
જજીસ બંગલો વિસ્તારના રત્નમ ફલેટના ૨૦૨ નંબરના ફલેટમાં રહેતા ધર્મેશ શાહે તેની પત્નીઅમી શાહ અને બે દીકરીઓ દીક્ષા તથા હેલીને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને ત્રિપલ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ ખુદ ધર્મેશે જ પોલીસને બોલાવી હતી અને સગાવ્હાલાને જાણ કરી હતી. હત્યા કરીને તે ત્યાં જ રહ્યો હતો. નાણાંકીય ભીડ અને ૧૫ કરોડનું દેવું થવાના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ત્રણની હત્યા કરીને પોતે કેમ આપઘાત ન કર્યો તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.
સવારે ૭ વાગ્યે પરિવારના ૩ સભ્યોને મોતને ઘાટ ઉતારી ધર્મેશ શાહે પોલીસ કંન્ટ્રોલને ૩-૩ હત્યા કરી હોવાની જાણ કરી હતી. ઘટનાના એકાદ કલાક બાદ તેણે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસ કંન્ટ્રોલે સિનિયર અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે પોલીસ અધિકારીઓ રત્નમ ફ્લેટ દોડી ગયા હતા.