ગુજરાત
News of Thursday, 22nd April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 57 દર્દીઓના મોત : વૈષ્ણવ સમાજે અંતિમવિધિ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાએ ગતિ પકડી છે જેમાં એપ્રિલ મહિનામાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધ્યો છે,જેમાં 2 એપ્રિલ થી 21 એપ્રિલ સુધીમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 57 જેટલા દર્દીઓના મોત થયા છે એ બાબત અત્યંત ગંભીર કહી શકાય.
કોવિડ માં મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર માટે વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા એ જવાબદારી સંભાળી હોય આ તમામ ના રાજપીપળા કોવિડ સ્મશાન માં અંતિમ સંસ્કાર થયા છે.ત્યારે આવી માનવતાભરી જવાબદારી સંભાળનાર રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજ ના યુવાનો હાલની વિકટ સ્થિતિ માં ન્યાત જાત ના ભેદભાવ વિના સાચેજ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે જે માનવતા મરી પરવારી નથી એ વાક્ય ને સાચા અર્થમાં સાબિત કરી બતાવે છે.

(10:32 pm IST)