ગુજરાત
News of Monday, 22nd April 2019

બોરસદ તાલુકાના નાપાવાંટામાં જુના ઝઘડાની અદાવત રાખી બે શખ્સો પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ તપાસ શરૂ:એકની હાલત ગંભીર

બોરસદ:તાલુકાના નાપાવાંટા ગામે આવેલા છાણી મેદાન સરકારે મદીના મસ્જિદ પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બેને પીઠ, ગાલ તેમજ કમરના ભાગ ચપ્પાના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર વિજયભાઈ ધીરૂભા રાણાએ ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે ઈમરાનને અગાઉ થયેલ ઝઘડા અંગે તુ કેમ અમારા વિરોધી સામાવાળાની તરફેણ કરે છે ? તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ગાળો બોલીને સંજય ધીરૂભા રાણાએ ચપ્પુના પીઠ પાછળ ઉપરાછાપરી બે ઘા મારી દીધા હતા. જ્યારે એક ઘા ડાબા ગાલ ઉપર કાન પાસે મારી દીધો હતો. 

(5:41 pm IST)