ગુજરાત
News of Monday, 22nd April 2019

ઉમરેઠમાં રિસાઈને પિયર ગયેલ પરિણીતાએ સાસરે આવવાની ના કહેતા પતિએ જીવલેણ હુમલો કર્યો

ઉમરેઠ: શહેરમાં છેલ્લા ચાર મહિનાથી રીસાઈને રહેતી એક પરિણીતાને તેડવા આવેલા પતિએ અસ્ત્રાથી હુમલો કરીને માર મારતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ઉમરેઠના હિરામોતી હોટલ પાસે રહેતી ગીતાબેનના લગ્ન ગોધરા ખાતે રહેતા કિરણભાઈ દિલીપભાઈ ચૌહાણ (વાઘરી) સાથે થયા હતા. પરંતુ છેલ્લા ચારેક મહિનાથી ગીતાબેન રીસાઈને પોતાના પિયરમાં રહેતા હતા. પતિ દ્વારા વારંવાર તેડવા આવવા છતાં પણ મોકલતા નહોતા. જેથી ગત ૧૯મી તારીખના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે આવી ચઢેલા પતિ કિરણભાઈએ પત્નીને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો અને પોતાની પાસેના અસ્ત્રો ગીતાબેનને ડાબી બાજુ પેઢાના ભાગે મારી દીધો હતો. જેના કારણે તે લોહીલુહાણ થઈ જવા પામી હતી. ત્યારબાદ આજે તો તુ બચી ગઈ છે પરંતુ ફરીથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. 

(5:40 pm IST)