ગુજરાત
News of Monday, 22nd April 2019

સ્વામિનારાયણ મંદિરે છઠ્ઠી ઉત્સવ

મણીનગર : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, દરબારગઢ, ભૂજ ખાતે શ્રી ધનશ્યામ મહારાજ પ્રાગટયથી છઠ્ઠી ઉત્સવ ઉજવાયો આ પ્રસંગે મહત સદ્ગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામી ડેપ્યુટી મહંત સદ્ગુરૂ મુનિભુષણ દાસજી સ્વામી સદ્ગુરૂ જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરૂ સ્વસિધ્ધચરણદાસજી સ્વામી સદ્ગુરૂ મહા મુનીશ્વરદાસજી સ્વામી સં. લિ. ધર્મવત્સવદાસજી સ્વામી તથા વરિષ્ઠ સંતમંડળ તથા હરિભકતોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો. 

(4:13 pm IST)