ગુજરાત
News of Monday, 22nd April 2019

એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડાના હોદેદારોઃ પ્રેસીડેન્ટ હેમંત ત્રિવેદી, ઉપપ્રમુખ-નિરવ શાહ

અમદાવાદ : એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડા છેલ્લા ૪૦ વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે. એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડા માં વડોદરા શહેરની નામાંકીત જાહેરાત એજન્સીઓ સંકળાયેલી છે. દર બે વર્ષે એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડાની પ્રણાલી પ્રમાણે નવા હોદ્દેદારોની નિમણૂંક થતી હોય છે. ૨૦૧૯ - ૨૦૨૧ ના નવા હોદ્દેદારો માટેની નિમણૂંક માટે એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડા ના તમામ સભ્યો એકઠા થયા હતા અને આવનારા ૨૦૧૯ -૨૦૨૧ ના વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂંક કરી હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે શ્રી હેમંત ત્રિવેદી (ફાઈન એકસ), વાઈસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી નિરવ શાહ (જે.પી.પબ્લીસીટી), સેક્રેટરી તરીકે શ્રી ચિરાગ શાહ (અમી એડસ) અને ટ્રેઝરર તરીકે શ્રી ભાવેશ શાહ (એવન એડવર્ટાઈઝીંગ) તેમજ એડવાઈઝરી કમિટીમાં શ્રી અરવિંદ પુરોહિત (એડર્ટ એડવર્ટાઈઝીંગ) અને શ્રી નયન જાની (મોનાર્ક એડવર્ટાઈઝીંગ)ની નિમણૂંક કરવામાં આવી હતી.

આ પ્રસંગે પૂર્વ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર જોબનપુત્રાએ તેમના બે વર્ષ દરમ્યાન માનવંતા સભ્યો દ્વારા જે સાથ સહકાર મળ્યો હતો તે બદલ સૌનો આભાર માન્યો હતો અને નવી નિમણૂંકની જાહેરાત કરી હતી અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે એડવર્ટાઈઝીંગ કલબ ઓફ બરોડાના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂંકને આવકારી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:03 pm IST)