News of Friday, 21st February 2020
વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીએ સૂરસાગર તળાવના લોકાર્પણ સાથે મહાઆરતી કરી
રૂપાણીએ નવીનિકરણ થયેલા સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી
વડોદરાના સૂરસાગર તળાવ પર મહાશિવરાત્રી નિમિત્તે મહાઆરતી યોજાઈ હતી. ભગવાન શિવજીની મહાઆરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ સૂરસાગરની મહાઆરતીમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ નવીનિકરણ થયેલા આ સૂરસાગર તળાવ પર મહાદેવની મહાઆરતી કરી હતી. તેમણે શિવરાત્રીના દિવસે જ સૂરસાગર તળાવનું લોકાર્પણ કરીને મહાઆરતી કરી હતી.
(1:16 am IST)