News of Friday, 22nd February 2019
ઉમરગામમાં વલસાડ એસઓજીએ બાતમીના આધારે છાપો મારી ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપ્યો
ઉમરગામ: શહેરનાં પડગામ ખાતે આવેલા ગોડાઉનમાં વલસાડ એસઓજીએ બાતમીનાં આધારે છાપો મારતા શંકાસ્પદ કેમિકલ પ્રવાહી અને પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, જથ્થો ક્યા પરેકારનો અને ક્યા ઉપયોગમાં લેવાય તે જાણવા સેમ્પલો લઈ એસ.એસ.એલમાં મોકલવામાં આવ્યા છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સી અને પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે ઉમરગામનાં પડગામ ખાતે જાવેદ અબ્દુલ વાહીદ ચૌધરીનાં માલિકીનાં શોપિંગ સેન્ટરમાં આવેલા ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસે જીપીસીપી અને એફએસએલને સાથે રાખી તપાસ શરૂ કરી હતી.
(5:47 pm IST)