વડોદરામાં ફાયરમેનની નોકરી ન મળતા હતાશ થયેલ શખ્સે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: શહેરમાં ફાયરમેન તરીકે પસંદગી નહી થતા હતાશ થઇ ગયેલા યુવકે મામાના ઘરે જઇ દુપટ્ટાથી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતુ.પાણીગેટ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગાજરાવાડી પરેશ નગરમાં રહેતા ચંદ્રકાંત બાબુરાવ કરાડે ડ્રાયવીંગ કરે છે.ગત બપોરે તેમનો ભાણેજ જીગર તેમના ઘરે આવ્યો હતો.બપોરે તેમની ૧૬વર્ષની પુત્રી ઉપરના માળે જીગરને બોલાવવા ગઇ હતી.પરંતુ,ઉપરના માળે જીગરે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે પાણીગેટ પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સટેબલ દીતાભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.મરનાર જીગરના મામાએ પોલીસને જણાવ્યુ હતુ કે,નવાપુરા ખંડેરાવ મંદિર પાસે મહીપતરાવની ચાલીમાં રહેતા ૨૪ વર્ષના મારા ભાણેજ જીગર આદિત્ય પટેલે ફાયરમેનનો કોર્સ કર્યો હતો.અને થોડાસમય પૂર્વે વડોદરા કોર્પોરેશનમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાની હોય તેને પણ ફોર્મ ભર્યુ હતુ.પરંતુ,તેની પસંદગી થઇ નહતી.જેથી,તે હતાશ થઇ ગયો હતો.અને હતાશામાં ગરકાવ થઇને તેણે આપઘાત કરી લીધો હતો.
ફાયરમેન તરીકે પસંદગી નહી થતા હતાશ થઇ ગયેલા યુવકે મામાના ઘરે જઇ દુપટ્ટાથી ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતુ.પાણીગેટ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.