રાજ્યના ૮ જિલ્લામાં ૯૮૭ હેકટરમાં નવી જીઆઈડીસી સ્થપાશેઃ વિજયભાઈ રૂપાણી
નવી ઔદ્યોગિક વસાહતોના નિર્માણથી ૨૦,૦૦૦થી વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશેઃ ૫ જિલ્લામાં નવા ૩૬૦ બહુમાળી શેડ નિર્માણ પામશે
રાજકોટ, તા. ૨૨ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના ઉદ્યોગકારોને વધુ -ોત્સાહન આપવા રાજ્યના ૮ જિલ્લામાં ૯૮૭ હેકટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેકટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરના ર૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મીટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા - બનાસકાંઠાનો માર્બલ કટીંગ / પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ - જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોદરા ગાંધીનગરનો ફૂડ - એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો ઍસિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગભગ રૂ. ૧૨૨૩ કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે ૨૦ હજાર નવી રોજગારી આ નવિન -કલ્પો ભવિષ્યમાં પૂરી પાડશે. વધુમાં આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેકટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે. સાથેસાથે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે MSMEને વધુ વેગ આપવાના હેતથી રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ - બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને અંદાજે બે હજાર નવી રોજગારી ઉપલબ્ધ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.