ગુજરાત
News of Tuesday, 22nd January 2019

રાજ્યના 58 જેટલા પ્રોબેશનરી ડેપ્યુટી કલેકટરોને મામલતદારની તાલીમના આદેશ :20 મામલતદારની બદલી

જેતપુર,જસદણ,કોટડાસાંગાણી અને રાજકોટ તાલુકા મામલતદારની જગ્યા નિયુક્તિ કરાઈ :બિનખેતી મામલતદાર અર્જુન ચાવડાની રૂડામાં ટ્રાન્સફર :રાજકોટ પૂર્વના મામલતદાર એસ,જે, ચાવડાને બિનખેતીમાં મુકાયા

અમદાવાદ :રાજ્યના 58 જેટલા પ્રોબેશનરી ડેપ્યુટી કલેકટરોને મામલતદારની તાલીમના આદેશ કરાયા છે ઉપરાંત 20 મામલતદારની બદલી કરાઈ છે રાજકોટ જિલ્લાના  જેતપુર જસદણ, કોટડાસાંગાણી  અને રાજકોટ તાલુકા મામલતદારની ખાલી જગ્યા પર નિયુક્તિ કરાઈ છે જયારે બિનખેતીના મામલતદાર અર્જુન ચાવડાની રૂડામાં બદલી થઇ છે જયારે રાજકોટ પૂર્વના મામલતદાર એસ,જે, ચાવડાને રૂડામાં મુકાયા છે

 

(10:50 pm IST)