ગુજરાત
News of Tuesday, 22nd January 2019

ખંભાતમાં અપશબ્દો બોલવા બાબતે ફરિયાદ કરેલ શખ્સને ઘરમાં ઘુસી ઢોરમાર મારતા ગુનો દાખલ

ખંભાત: શહેરના ગણપતિ મંદિર પાસે રહેતા જ્યોતિબેન ધવલભાઈ પીત્રોડાના ઘર નજીક પરમદિવસની સાંજના સુમારે ધીરજભાઈ સુમનભાઈ ઠાકોર તથા પરાગભાઈ સતીષભાઈ ઠાકોર ગમે તેવી ગાળો બોલતા હોય જ્યોતિબેને આ અંગે ઠપકો આપીને ખંભાત શહેર પોલીસ મથકે અરજી આપી હતી. 

જેની રીસ રાખીને ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે જાગૃતિબેન શકુભાઈ ઠાકોર તથા શકુભાઈ ઘરમાં ઘુસી ગયા હતા અને ફરિયાદ કેમ કરી પાછી લઈ લો, તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. જેમાં જ્યોતિબેન તથા ઘરના સભ્યોને પણ ઈજાઓ થવા પામી હતી.આ અંગે તેણીએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 

(5:49 pm IST)