ગુજરાત
News of Tuesday, 22nd January 2019

આણંદ નજીક કરમસદમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી લાખોની મતાની ઉઠાંતરી કરી

આણંદ: તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. ઉપરાછાપરી બની રહેલ ચોરીના બનાવોને લઈને શહેરીજનોમાં ચિંતાની લાગણી વ્યાપી છે ત્યારે આણંદ પાસેના કરમસદ ગામે વધુ એક ચોરીનો બનાવ બનતા તસ્કરોએ ખાખીને ખુલ્લી ચેલેન્જ આપતા હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટંગ બની છે.

શનિવાર રાત્રિના સુમારે તસ્કરોએ કરમસદ ગામે બે મકાનોને નિશાન બનાવી રૃા.૨.૨૫ લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ દફતરે નોંધાયો છે.

(5:44 pm IST)