News of Tuesday, 22nd January 2019
અમદાવાદ: એફઆરસીમાં સભ્યતા ન ધરાવનાર લોકોને દૂર કરવા વાલીઓની માંગણી
અમદાવાદ:ફી રેગ્યુલેશન કમિટીમાં પાત્રતા ન ધરાવતા સભ્યોને ડિસ્ક્વોલિફાય કરવાની માગણી મૂકવામાં આવશે. ગુજરાતના વાલીઓને ફીને મુદ્દે એફઆરસી અપેક્ષિત સંતોષ આપવામાં નિષ્ફળ ગઈ હોવાની વાલીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૨મી ફેબુ્રઆરીએ સુપ્રીમ કોર્ટમાં આ કેસની રજૂઆત કરવામાં આવશે ત્યારે આ મુદ્દો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાલીઓનું કહેવું છે કે ફી રેગ્યુલેશન કમિટી સરકાર સાથેની મિલીભગતમાં જ કામ કરી રહી છે. રાજકીય નેતાઓના કથિત હિતો ધરાવતી શાળાઓની ફી ઊંચી રાખવામાં આવી છે. તેથી વાલીઓને અને તેમના સંતોનોને ફીની બાબતમાં મળવો જોઈતો ન્યાય મળી શક્યો નથી.
(5:39 pm IST)