ગુજરાત
News of Tuesday, 22nd January 2019

કાલે મુખ્યમંત્રીના હસ્તે ર૦૦૦ કંડકટરોને નોકરીના ઓર્ડરો : રાજકોટને ર૯૯ ફાળવાયા

કાલથી અમદાવાદથી ૧૬ નવી વોલ્વો બસ શરૂ થશે

રાજકોટ, તા. રર : એસ.ટી. તંત્ર હાલ ધડાધડ ભરતી કરી રહ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ર૦૦૦ કંડકટરોને અમદાવાદ જીએમડીસી મેદાન ખાતે નોકરી અંગેના ખાસ ઓર્ડરો અપાશે, અને તે સાથે કંડકટરોની જે અછત છે તે દૂર થશે.

દરમિયાન રાજકોટના ડીવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, હજારથીમાંથી રાજકોટને ર૯૯ કંડકટર ફાળવાયા છે હવે કંડકટરની ઘટ પૂરી થઇ જશેદરમિયાન આવતીકાલથી અમદાવાદથી એકી સાથે ૧૬ નવી વોલ્વો બસ એસ.ટી. તંત્ર રૂ કરી રહ્યું છે, જે અમદાવાદથી વારાણસી-ચંદીગઢ, નાગપુર, ગોવા સહિતના સેન્ટરોમાં દોડશે.

(3:38 pm IST)