ગુજરાત
News of Saturday, 21st November 2020

સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલ શરૂ : રાત્રિના 9 થી સવારના 6 સુધીની રહેશે સમયમર્યાદા, સરકારના આગલા આદેશ સુધી લાગૂ રહેશે નાઈટ કર્ફ્યુ : મોટા શહેરોમાં રસ્તા સુમસામ

રાજકોટ : રાજ્યમાં કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકારે અમદાવાદમાં ગઈ કાલ રાત્રે 9 વાગ્યાથીસોમવાર સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે જયારે સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લગાવ્યો છે ત્યારે આજે સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અમલ શરૂ થયો છે  રાત્રિના 9 થી સવારના 6 સુધીની સમયમર્યાદા માટે રાત્રી કર્ફ્યુનો અમલ રહેશે અને સરકારના આગલા આદેશ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહશે ત્યારે ઉક્ત  મોટા શહેરોમાં રસ્તા સુમસામ લાગી રહ્યાં છે

(9:45 pm IST)