News of Thursday, 21st November 2019
અમદાવાદના લૂંટારુઓ બેફામ :અંજલિ બ્રિજ પર મુંબઈના વેપારી પાસેથી એક કરોડના અઢી કિલો સોનાની લૂંટ : સનસનાટી
અમદાવાદ : અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે ધોળેદિવસે સરાજાહેર લૂંટ થવી હવે જાણે સામાન્ય વાત બની ગઇ છે. આજે સમી સાંજે અમદાવાદના અંજલિ બ્રિજ પર મુંબઇથી આવેલા વેપારીને ટાર્ગેટ કરીને તેમની પાસે રહેલું અંદાજે એક કરોડના કિંમતનું અઢી કિલો સોનાની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે વધુમાં મળતી માહિતી મુજબ એક્ટિવા પર આવેલા શખ્સોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે આ અંગે વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.
(9:14 pm IST)