ગુજરાત
News of Thursday, 21st November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ: યુવતીના પરિવારની હેબિયર્સ કોપર્સ અરજી મામલે હાઇકોર્ટમાં 26મીએ વધુ સુનાવણી

બે યુવતીઓ ગુમ થઈ હોવા મામલે હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી

 

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે યુવતીના પરિવારે કરેલી હેબિયર્સ કોપર્સની અરજી પણ હાઇકોર્ટમાં આજે સૂનાવણી હાથ ધરાઈ હતી પરિવારના વકીલ નિત્યાનંદ આશ્રમ સામે સવાલ ઉઠાવ્યા છે. બે યુવતીઓ ગુમ થઈ હોવા મામલે હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે. અને વધુ સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરાશે.

  ફરિયાદી જનાર્દન શર્માએ બંને બાળકોને કેમ મળવા દેવાતા નથી તેવો સવાલ કરીને બાળકીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા રજૂઆત કરી હતી પોલીસ બાળીઓને આઈપી એડ્રેસથી શોધે અને ડીપીએસ સ્કૂલ અને આશ્રમ વચ્ચેના સંબંધની તપાસ થાય તેવી પણ માગ કરી હતી  . તેમણે એમ પણ કહ્યું કે ગુમ બાળકીના કપડાં અને વસ્તુઓ આશ્રમમાંથી મળી આવી તો બહાર ક્યારે ગઈ પણ એક સવાલ છે.

(11:08 pm IST)