રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.082 : કુલ 8.15.536 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજયમાં આજે વધુ 2.95.854 લોકોનું રસીકરણ કરાયું
સુરતમાં 4 કેસ, રાજકોટ અને વડોદરામાં 3-3 કેસ, વલસાડમાં 2 કેસ, ગાંધીનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 133 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 14 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15..536 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10082 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.95.854 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 5.73.55.728 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 133 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 130 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.536 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14 કેસમાં સુરતમાં 4 કેસ,રાજકોટ અને વડોદરામાં 3-3 કેસ,વલસાડમાં 2 કેસ, ગાંધીનગર અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે