ગુજરાત
News of Monday, 21st September 2020

કૃષિ ખરડો કિશાનોને બરબાદ કરી દેશેઃ રાજયસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા શકિતસિંહ ગોહિલ

રાજકોટ તા. ર૧: કેન્‍દ્ર સરકાર દ્વારા કૃષિ ખરડો રાજયસભામાં અભૂતપૂર્વ હંગામા વચ્‍ચે પસાર કરવામાં આવ્‍યો છે ત્‍યારે રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે આ ખરડો કિશાનોને બરબાદ કરી દેશે તેમ જણાવ્‍યું હતું.

રાજયસભામાં પ્રશ્‍નોતરી દરમિયાન  ભાવનગરના કોંગ્રેસના વરિષ્‍ઠ અગ્રણી અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે ખેડૂતોનો અવાજ ઉઠાવતા જણાવ્‍યું હતું કે, આ કાયદાથી ખેડૂતોને કોઇ ફાયદો નહીં થાય અને ખેડૂતો આ મુદ્દે કોર્ટના દ્વાર પણ ખખડાવશે. આ કાયદાના કારણે ખેડૂતોને કેન્‍દ્ર સરકારે ગુમરાહ કર્યા છે અને આ માટે વડાપ્રધાને માફી માંગવી જોઇએ તેમ અંતમાં શકિતસિંહ ગોહિલે જણાવ્‍યું હતું.

 

(3:47 pm IST)