ગુજરાત
News of Monday, 21st September 2020

વિધાનસભામાં સદ્દગત નેતાઓ, કોરોના વોરીયર્સને શ્રધ્ધાંજલી અર્પણ

ગાંધીનગરઃ વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે સૌ પ્રથમ નેતાઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી પ્રણવ મુખર્જી, કોરોના- ૧૯થી અવસાન પામેલ કોરોના વોરિયર્સ અને પ્રજાજનો, ગુજરાત રાજયના પૂર્વ મંત્રી સ્વ.શ્રી લીલાધરભાઈ ખોડાજી વાઘેલા, ગુજરાત રાજયના પૂર્વ રાજયકક્ષાના મંત્રી સ્વ.શ્રી ગીગાભાઈ ભાવુભાઈ ગોહીલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ નાયબ મંત્રી સ્વ.શ્રી જેસાભાઈ મારખીભાઈ ગોરીયા, ગુજરાત રાજયના પૂર્વ સંસદિય સચિવ સ્વ.શ્રી કુરજીભાઈ ભેંસાણીયા, ગુજરાત રાજયના પૂર્વ સભ્ય સ્વ.શ્રી નટુભાઈ ભીખાભાઈ ડાભી, સ્વ.શ્રી વસંતભાઈ પરભુભાઈ પટેલ અને સ્વ.શ્રી મણીલાલ ગોરધનદાસ ગાંધીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(3:15 pm IST)