ગુજરાત
News of Friday, 21st September 2018

સાબરકાંઠાના પ્રતિજ્ઞા કતપુર લીમલા ડેમ ખાલીખમ :ખેડૂતોથી સ્થિતિ દયનિય :પાક માટે સુકાઈ જવાની ભીતિ

સાબરકાંઠાના પ્રાંતિજના કતપુર લીમલા ડેમમાં પાણી ન હોવાથી કેનાલ મારફતે ડેમ ભરવા ખેડૂતોની અનેકવાર રજુઆતો છતાંકોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોએ સાયફર પાસે દોડી આવ્યા હતા. આ વર્ષે ઓછો વરસાદ પડતા પ્રાંતિજ સહિત તાલુકાઓમાં આવેલ તળાવો ખાલીખમ છે

   પ્રાંતિજ તાલુકાના 35 ગામોની જીવાદોરી સમાન લીમલા ડેમ પણ આ વર્ષે ખાલીખમ રહેતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.ડેમની અંદરથી સુજલામ્ સુફલામ્ કેનાલ દ્વારા સાયફર મારફતે પાણી આગળ જતું હોવા છતાં લીમલા ડેમમાં પાણી ના ઠલવાતાં અને બીજી બાજું તૈયાર થયેલ મોંધા પાક સહિત પશુપંખીઓ વરસાદ ના પડતાં આ વર્ષે પાણી માટે વલખાં મારે છે.

(5:51 pm IST)