News of Friday, 21st September 2018
આણંદના ઉમરીનગરમાં દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર વિરુદ્ધ ગુનો દાખલ
આણંદ: શહેરના ઉમરીનગરમાં રહેતી એક પરિણીતાને તેના પતિ અને ઘરના સભ્યોએ દહેજના મામલે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મૂકતા આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઉજમાબેનને તેના પતિ આરીફભાઈ મહંમદભાઈ વ્હોરા, સસરા મહંમદભાઈ, સાસુ કુલસુમબેન, નણંદો નસીમબેન, સમીમબેન તથા નણંદોઈ સાજીદભાઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દહેજની માંગણી કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પરિણીતા પોતાનું લગ્નજીવન ભાંગી ના પડે તે માટે બધો ત્રાસ સહન કરતી હતી પરંતુ આખરે તેણીને કેરોસીન કે ઝેર આપીને મારી નાંખવાની ધમકી આપી બાળક સાથે કાઢી મૂકવામાં આવી હતી.
(5:09 pm IST)