ગુજરાત
News of Friday, 21st September 2018

વિરોલ-જોગણ નજીક કેનાલમાંથી 40 વર્ષીય પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ

વિરોલ:વિરોલ-જોગણ રોડ ઉપર આવેલી કેનાલના નાળામાંથી આજે સવારના સુમારે એક ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને સ્થળ પર જ ડોક્ટરને બોલાવીને પીએમ કરાવતા ચાર-પાંચ દિવસ પહેલાં મોત થયાનું ખુલવા પામ્યું હતુ. જો કે મોતના સાચા કારણ માટે વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક તારણમાં પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયાનું જણાઈ રહ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતુ. 

(5:09 pm IST)