News of Wednesday, 21st August 2019
ભરૂચ રેલવે બ્રિજ પર અંકલેશ્વર તરફના છેડે વડોદરાના વલણના યુવાનનો મૃતદેહ મળ્યો
ખિસ્સામાંથી આધારકાર્ડ અને પાનકાર્ડ મળતા ઓળખ થઇ
રૂચના રેલવે બ્રિજ પર અંકલેશ્વર તરફના છેડા પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાનનો મૃતદેહ બ્રિજની નીચેની તરફ પડયો હતો.
ઘટનાની જાણ થતાં ભરૂચ રેલેવે પોલીસ તથા અંકલેશ્વર શહેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ કરવામાં આવતાં યુવાનના ખિસ્સામાંથી આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું. તેના ઉપરથી મૃતક વડોદરા જિલ્લાના વલણ ગામનો રહેવાસી દીપક નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તો પોલીસે વલણ ગામમાં રહેતાં તેના પરિવારનો સંપર્ક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:36 pm IST)