ગુજરાત
News of Saturday, 20th July 2019

રાજ્યમાં વિજળી પડતા ત્રણનાં મોત: બોટાદના તુરખા ગામે બે યુવાન બાદ દેવગઢ બારિયાના ઝાપટિયામાં મહિલાનું કરૂણમોત

મોરબી જિલ્લાના માળીયાના રાસંગપર ગામે આકાશમાંથી વિજળી પડી

 

અમદાવાદ ;રાજ્યમાં વિલઁજી પડતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે શનિવારે બોટાદના તુરખા ગામે વીજળી પડતાં બે યુવાનોનાં મોત નિપજ્યા હતા. ખેતરમાં આવેલા તેમના ઝુંપડા ઉપર જ્યારે વીજળી પડી ત્યારે પિતરાઈ ભાઈઓ ઝુંપડાની અંદર હતા અને તેમનું મોત નિપજ્યું હતું.   ઉપરાંત, દેવગઢ બારિયા તાલુકાના ઝાપટીયા ગામે પશુધન ચરાવતી મહિલા પર અવકાશી વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. મહિલાનું મોત નિપજતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. ઉપરાંત, મોરબી જિલ્લાના માળીયાના રાસંગપર ગામે આકાશમાંથી વિજળી પડી હતી, પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ હતી

(1:05 am IST)