ગુજરાત
News of Friday, 21st June 2019

વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર તસ્કરોએ બંધ મકાનના નકુચા તોડી 4.93 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના આજવા-વાઘોડિયા રોડ પર આવેલા શગુન ફ્લેટમાં સાંજે ત્રાટકેલા તસ્કરો  સોનાના દાગીના, રોકડ મળી કુલ રૃા.૪.૯૩ લાખની મત્તા બિનધાસ્ત ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે આજવા-વાઘોડિયા રોડ પર દશાલાડ ભવન પાસે શગુન ફ્લેટમાં રહેતા લલીતકુમાર શાહ જંબુસર તાલુકાના અણખી ગામે ફેક્ટરી ધરાવે છે. તેમના પત્ની લતાબેન ગઇકાલે સાંજે ફ્લેટ બંધ કરી મિત્રના ઘેર ગયા હતા આ સમયે તેમનો પુત્ર અને પુત્રી ઘરમાં ઊંઘતા  હતાં. દરમિયાન આ ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરો બિન્ધાસ્ત ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૃમમાં દિવાલ જડીત લાકડાના કબાટનો સામાન વેરવિખેર કરી રોકડા રૃા.૩૫ હજાર, સોનાની બંગડી, સોનાના પાટલા, મંગળસૂત્ર, બુટ્ટી અને સોનાની કાનની બુટ્ટી, ચાર વીંટી, ડાયમંડ વીંટી, સોનાનો સિક્કા તેમજ ચાંદીના છ નંગ પાયલ મળી કુલ રૃા.૪.૯૩ લાખની મત્તા ચોરી કરી તસ્કરો શાંતિથી ફરાર થઇ ગયા હતાં.

(5:28 pm IST)