સુરતમાં ભરૂચના વેપારી પાસે 20 લાખની ખંડણીની માંગણી કરી શખ્સે જીવલેણ હુમલો કરતા અરેરાટી
સુરત: શહેરના સરદાર માર્કેટમાં કોથમીરની દલાલી કરતા ભરૂચના વેપારી પાસે તારો ધંધો બહુ સારો ચાલે છે, અહીં ધંધો કરવો હોય તો રૂ.૨૦ લાખ આપવા પડશે તેમ કહી કુખ્યાત વસીમ બિલ્લાએ ખંડણી માંગી હતી. જોકે, વેપારીએ ઇન્કાર કરતાં વસીમ બિલ્લો આજે મળસ્કે તેના સાગરીતો સાથે પહોંચી ગયો હતો અને ફરી ખંડણી માંગી વેપારીને માર મારી ચપ્પુ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે લોકો એકત્ર થઈ જતા વસીમ બિલ્લા તેના સાગરીતો સાથે ભાગી છૂટયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભરૂચના મહમદપુરા ખાતે સીટીઝન કોમ્પલેક્ષ ફ્લેટ નં.સી/૧ માં રહેતા ૪૧ વર્ષીય યુસુફખાન હબીબખાન પઠાણ સુરતમાં સરદાર માર્કેટની સામે પારસી પંચાયતની વાડીમાં કોથમીરની દલાલીનો વ્યવસાય કરે છે. ધંધા દરમિયાન જ તેમની ઓળખાણ નવસારી માર્કેટમાં કોથમીરનો વેપાર કરતાં ગુલામભાઈ અને તેમના પુત્ર વસીમ ઉર્ફે વસીમ બિલ્લા સાથે થઈ હતી.