News of Thursday, 21st June 2018
અમદાવાદની હેરિટેઝ ઇમારતો કાયમી રોશનીથી ઝળહળશે
પ્રારંભિક તબક્કે કાંકરિયા લેક્ફ્રન્ટ. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, નહેરુબ્રિજ, સરદાર બ્રિજ, અને સ્વામી વિવેકાનંદ બ્રિજને રોશની કરાશે
અમદાવાદના હેરિટેઝ ઇમારતો કાયમી રોશનીથી ઝળહળશે આજે અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો આ માટે પહેલા તબક્કામાં પાંચ સ્થળોએ રોશની કરાશે. જેમાં કાંકરિયા લેક્ફ્રન્ટ. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, નહેરુબ્રિજ, સરદાર બ્રિજ, અને સ્વામી વિવેકાનંદ બ્રિજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ.1.90 કરોડના ખર્ચે રાણીપમાં સબઝોનલ ઓફિસ. 8 કરોડના ખર્ચે બીઆરટીએસ બસમથકોનું નવિનીકરણ અને હયાત ડ્રેનેજ લાઈનોનું આધુનિક ટેકનોલોજીથી ડિસિલટિંગ કરવાનો પણ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયા છે.
(12:48 am IST)