બોરસદ તાલુકાના દહેવાણમાં ઉછીના પૈસાની બાબતે ત્રણ શખ્સોએ બેને લાકડીથી માર મારતા ગુનો દાખલ
બોરસદ: તાલુકાના દહેવાણ ગામે આવેલા નાળા પાસેના ટેકરા નજીક પરમદિવસે રાત્રીના સુમારે ત્રણ શખ્સોએ ઉછીના પૈસાની તકરારમાં બેને લાકડીથી માર મારીને એકને માથાના ભાગે ફેક્ચર કરી નાંખતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી મંગુબેન સોમાભાઈ તળપદા વાઘરી પાસે નજીકમાં જ રહેતા રાજીભાઈ વિરામભાઈ તળપદા વાઘરી, અરવિંદભાઈ રાવજીભાઈ તળપદા વાઘરી તથા લાલજીભાઈ રાવજીભાઈ તળપદા વાઘરી પૈસા માંગતા હોય ગત ૧૮મી તારીખના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે તેમના ઘરે ગયા હતા અને પૈસાની માંગણી કરતાં મંગુબેને પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી ઉશ્કેરાયેલા રાવજીભાઈએ કનુભાઈને માથાના ભાગે લાકડી મારી દીધી હતી. અરવિંદભાઈએ બરડાના ભાગે લાકડીની ઝાપોટો મારી દીધી હતી. જ્યારે લાલજીભાઈએ મંગુબેનને લાકડીનો ગોદો જમણા બાવડા ઉપર મારીને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.