News of Tuesday, 21st May 2019
આણંદના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરામાં મોરબીથી ગયેલ જાનૈયાઓમાંથી મહીસાગર નદીમાં ડુબી જવાથી ૩ મહિલા અને એક બાળકનું મોત
આણંદ :આણંદમાં લગ્નપ્રસંગે આવેલા જાનૈયાઓ સાથે અજીબ ઘટના બની હતી. આણંદના ઉમરેઠ પાસે આવેલ મહીસાગર નદીમાં ચાર જાનૈયાઓના ડૂબીને મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના પ્રતાપપુરા ગામની આ ઘટના છે. મોરબીથી કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં આણંદના ઉમરેઠમાં આવ્યા હતા. ત્યારે જાનમા આવેલી કેટલીક મહિલાઓ મહીસાગર નદીએ નાહવા ગઈ હતી. આ સમયે એક બાળક નદીમાં લપસી ગયું હતુ. ત્યારે આ બાળકને ચાર મહિલાઓ બચાવવા ગઈ હતી. પરંતુ તેમાંથી ત્રણ મહિલાઓ અને એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે કે, એક મહિલાનો બચાવ થયો હતો.
આ પ્રસંગથી જે ઘરમાં લગ્નને કારણે આનંદની લાગણી છવાઈ હતી, ત્યાં હવે માતમ છવાઈ ગયો છે.
(4:39 pm IST)