ગુજરાત
News of Tuesday, 21st May 2019

અધિકારીઓ વિકાસ અને પરિવર્તનના પ્રેરક બનેઃ રાજ્‍યપાલ આનંદીબેન

રાજકોટ, તા. ૨૧ :. મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે રાજભવનમાં તાલીમી ડે. કલેકટર અને પોલીસ અધિકારીઓને સંબોધતા જણાવેલ કે વહીવટી અધિકારીઓ વિકાસ અને પરિવર્તનના પ્રેરક બને. સમાજના નબળા, ગરીબ અને અશિક્ષિત વર્ગના ઉત્‍થાન, મહિલા સશકિતકરણ અને આર્થિક વિકાસના કામોને અગ્રતા આપે.

શ્રીમતી આનંદીબેને કહ્યું કે, અધિકારીઓનું કાર્ય અને વ્‍યવહાર સામાન્‍ય લોકો માટે પ્રેરણારૂપ હોય છે. મહિલા સશકિતકરણ માટે સ્‍વસહાયતા સમુહોને સશકત બનાવવા તેમજ કૃષિ સાથે પશુપાલન વગેરેને પ્રોત્‍સાહન આપવું જોઈએ.

(3:50 pm IST)