ગુજરાત
News of Monday, 21st May 2018

આણંદ એસઓજીએ કિંખલોડમાં જુગાર રમતા 19 શખ્સોને 1.12 લાખની મતા સાથે ઝડપ્યા

આણંદ :એસઓજી પોલીસે આજે આંકલાવ તાલુકાના કીંખલોડ ગામની સીમમાં આવેલા ખેતરમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૧૯ શખ્સોને ઝડપી પાડીને ૧.૧૨ લાખની રોકડ, ૧૫ મોબાઈલ તથા ચાર વાહનો જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને હકિકત મળી હતી કે, કીંખલોડ ગામે રહેતો કલીયો ફતેસિંહ પરમાર ચીભડીયા સીમમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં સ્થળ પરથી ૧૧ જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે કલીયો ફતેસિંહ પરમાર ફરાર થઈ જવા પામ્યો હતો.
દાવ પરથી તેમજ પકડાયેલા શખ્સોની અંગજડતીમાંથી ૧,૧૨,૮૦૦ રોકડા, ૪૨૫૦૦ના ૧૫ મોબાઈલ, ૧ રીક્ષા અને ચાર બાઈક મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:33 pm IST)