પોલીસના બાતમીદાર હોવાનો વ્હેમ રાખી અંકલેશ્વરના યુવાનને ત્રણ શખ્સોએ ઢોર માર મારતા ફરિયાદ
કામરેજ:તાલુકાના ચોર્યાસી ગામે ને.હા.નં. ૪૮ પર ટોલનાકા નજીક અંકલેશ્વર જતા યુવાનની કારને ત્રણ કારમાં આવેલા ૮ થી ૧૦ શખ્સોએ પોલીસનો બાતમીદાર હોવાનો વહેમ રાખી માર મારી માથામાં લોખંડના પાઇપના ફટકા મારી ઇજા કરી હતી. અંકલેશ્વર ગામે રાજપીપળા રોડ પર આવેલા મારૂતિધામમાં વિકાસ રાજેશભાઇ વસાવા પરિવાર સાથે રહે છે. વિકાસ તા. ૧૯-૪-૧૮ના રોજ કારના ચાલક સતીષ ચૌહાણ અને મિત્રો દિપકસીંગ, પંકજસીંગ અને મન્નુ યઠુવંનસિંહ સાથે મુંબઇ ખાતે મિત્ર યોગેશ પ્રજાપતિના લગ્નમાં ગયા હતા.
જ્યાં રાત્રે વરઘોડામાં રોડ પર ટ્રાફિક નિયમન કરતા હતા ત્યારે વિકાસ વસાવા પાસે રાકેશ ચૌહાણ (રહે. અંકલેશ્વર જીઆઇડીસી)એ પહોંચી જઇ અચાનક ધક્કો મારી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. બાદમાં તા. ૨૦-૪-૧૮ના રોજ વિકાસ વસાવા પોતાના મિત્રો સાથે મારૂતી બ્રેજાકાર (નં. જીજે-૧૬-બીએમ- ૩૫૯૫)માં મુંબઇથી અંકલેશ્વર જવા નીકળ્યા હતા. ત્યારે ને.હા.નં. ૪૮ પર ચોર્યાસી ટોલનાકા નજીક વિકાસ વસાવાની કારની આગળ આઇટ્વેન્ટી (નં. જીજે-૧૬-બીસી- ૨૩૪૯), એકસયુવી (નં. જીજે-૧૬-વીએન- ૬૯૦૨) તથા બીજી બે ગાડી આવીને ઉભી રહી ગઇ હતી.