ગુજરાત
News of Wednesday, 21st April 2021

સલામ : કોરોના વૉરિયર ડૉ. સંકેત મહેતાએ પ્લાઝ્મા ડોનેટ કર્યું : 100 દિવસ કોરોના સામે જંગ ખેલ્યો હતો

સુરતના કોરોના વૉરિયર ડૉ. સંકેત મહેતાએ પોતાનું ઓક્સિજન માસ્ક બાજુના દર્દીને આપીને જીવ બચાવ્યો હતો.

સુરતના કોરોના વૉરિયર ડૉ. સંકેત મહેતાએ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. 100 દિવસ કોરોના સામે ઝઝૂમ્યા બાદ દાન કર્યું છે. પોતાનું ઓક્સિજન માસ્ક બાજુના દર્દીને આપીને જીવ બચાવ્યો હતો. સંક્રમિત થતા તેઓને ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને 100 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા. પ્લાઝ્મા ડોનેટ કરી ડૉ.સંકેતે તબીબ તરીકે નૈતિક ફરજ નીભાવી છે.

(1:03 pm IST)